Posts

ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન

Image
ઢોડિયા સમાજની ભવ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ચેમ્પિયન ચીખલી તાલુકાના કલિયારી ગામ ખાતે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ પર જય ભવાની મિત્ર મંડળ દ્વારા મકરસંક્રાંતિના પાવન પર્વ નિમિત્તે ઢોડિયા સમાજના ક્રિકેટ મિત્રોને પ્રોત્સાહન આપવાના હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં ઢોડિયા સમાજની કુલ 164 ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ટુર્નામેન્ટની અંતિમ ફાઇનલ મેચ ખેરગામ લાયન અને અટગામ ઇલેવન વચ્ચે રમાઈ હતી. જેમાં ખેરગામ લાયન ટીમે પ્રથમ બેટિંગ કરીને 6 ઓવરમાં 84 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં અટગામ ઇલેવન ટીમ 6 ઓવરમાં માત્ર 73 રન બનાવી શકતા ખેરગામ લાયન ટીમ વિજેતા બની હતી. ખેરગામ લાયનની જીત સાથે ગ્રાઉન્ડ પર હાજર સમર્થકો ડીજેના તાલે ઝૂમી ઉલ્લાસપૂર્વક વિજયની ઉજવણી કરી હતી. ચેમ્પિયન બનેલી ખેરગામ લાયન ટીમના તમામ ખેલાડીઓને ખેરગામ વાસીઓ તથા ક્રિકેટ રસિકોએ અભિનંદન પાઠવ્યા હતા. નોંધનીય છે કે છેલ્લા પાંચ વર્ષમાં યોજાયેલી ઢોડિયા સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટમાં ખેરગામ લાયન ટીમે ચાર વખત ફાઇનલ જીતી નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે.

વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ

Image
 વિશ્વ માતૃભાષા દિવસઃ ધોડીઆ બોલી જાળવી રાખવા વિરવલિયો વિજુનો અનોખો પ્રયાસ માતૃભાષા એ માત્ર ભાષા નહીં, પણ આપણા સંસ્કૃતિના પરિબળ અને ઓળખનો અભિન્ન હિસ્સો છે. આજના વૈશ્વિકકરણ અને સ્થાલાંતરની અસરથી અનેક આદિવાસી ભાષાઓ લુપ્ત થવાની કગારમાં છે. તેવી જ રીતે, ધોડીઆ બોલી પણ આધુનિક યુગમાં ધીમે ધીમે અવગણાઇ રહી છે. વિશ્વ માતૃભાષા દિવસ (21 ફેબ્રુઆરી)ના અવસરે, વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના વિરવલ ગામના લેખક વિજય રતિલાલ ગરાસિયા (વિરવલિયો વિજુ) દ્વારા ધોડીઆ બોલીને જીવંત રાખવા કરવામાં આવેલા પ્રયત્નો પર એક નજર કરીએ. ધોડીઆ બોલીનું સંવર્ધન: પરંપરા અને ડિજિટલ માધ્યમનો સમન્વય વિજ્ય ગરાસિયા 2006 થી ધોડીઆ બોલીને સંવર્ધન માટે પ્રયત્નશીલ છે. ગુજરાતી ભાષામાં વાર્તા, લેખ, જોક્સ અને નવલકથાઓ લખતા લેખક તરીકે તેમનું પ્રારંભિક કાર્ય સુપ્રસિદ્ધ રહ્યું છે. પરંતુ ધોડીઆ બોલીની અવગણના અને નવી પેઢીના તેના પ્રત્યેની અજ્ઞાનતા જોઇ, તેમણે આદિવાસી ભાષાને જીવંત રાખવા નવા માર્ગ શોધવા શરૂ કર્યા. સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના યુગમાં, તેઓએ 2010માં ફેસબુક પર "વિરવલિયો વિજુ" નામથી એકાઉન્ટ બનાવી અને ધોડીઆ ભાષાની હળવી રમૂજ...

ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024 દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન.

Image
 ચીખલી તાલુકાના શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન, સુરખાઇ ખાતે તા.8,9,10 નવેમ્બર 2024  દરમ્યાન ટ્રાઈબલ ટ્રેડ ફેરનું આયોજન. આ કાયૅકમને સિસ્ટમેટીક અને પદ્ધતિસર આયોજન થકી આપણે  આગણે સૌ પ્રથમવાર  આયોજન કરવામા આવેલ‌ છે જેમા ભાગ લેવા રજીસ્ટ્રેશન કરવુ ખુબ જરૂરી છે. 1. આદિવાસી સમાજના નવયુવાનોને ધંઘા-રોજગાર માટે  તાલીમબદઘ  અને સેમિનાર થકી પેકટીકલ , જ્ઞાન થકી આપને આકર્ષિત કરવામા આવશે. 2 આ કાયૅકમમા 50000લોકો મુલાકાત લેનાર છે  ભારત સરકારના કેન્દ્રીય રોજગાર કેન્દ્ર દ્વારા નોધણી કરવામા આવશે 3. હાલ સુરતમા આ‌ભારત સરકારના કેન્દ્રીય રોજગાર ક્ષેત્રમાં તાલીમ   લઈ રહેલા વિધાથીર્ઓને તાલીમ પુણૅ થયા પછી સરકારના સાહસ એકમોમા નોકરી માટે ગેરંટી આપી ભરતી કરવામા આવે છે 4. આપણા નજીકમા આવેલા સચીન વાપી તેમજ બીલીમોરા અને હજીરા જેવા‌ વિસ્તારોમાંથી આવેલ ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારોમાં  હજારો નવયુવાનો કોઈપણ જાતના સિક્યોરિટી વગર  નોકરી  કરી રહ્યા છે તેમા તાલીમ સાથે પોતાનામા રહેલ હુન્નર થકી  આગળ નોકરી સિક્યોરિટી સાથે કરી શકાય. 5. આપણા સમાજમાં નવયુવાનોને યોગ્ય દિશા અને તા...

Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું.

Image
Chikhli|Surakhai:'શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું. તારીખ 15-09-2024નાં રવિવારનાં દિને 9:00 કલાકે શ્રી જ્ઞાન કિરણ ધોડિયા સમાજ ભવન સુરખાઈ ખાતે તેજસ્વી તારલાનું સન્માન અને શિક્ષકોનું સ્નેહ મિલન યોજાયું હતું. જેમાં ધોડિયા સમાજમાં વર્ષ 2023-2024માં ધોરણ 10 અને ધોરણ 12માં ઉત્તમ દેખાવ કરી સારા ગુણ મેળવનારા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત રાજ્ય સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ શ્રી ડૉ. પ્રદિપભાઈ ગરાસિયા, નવસારી જિલ્લા નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી નવીનભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્યશ્રી કાનજીભાઈ પટેલ, મંડળના હોદ્દેદારો,સહિત શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.