આદીવાસી સમાજનો ઇતિહાસ|history of adivasi |History of Mul Nivasi "આદિવાસી" શબ્દ ભારતના આદિવાસી લોકોનો ઉલ્લેખ કરે છે, જેઓ હજારો વર્ષોથી ઉપખંડમાં રહે છે. આદિવાસીઓનો ઇતિહાસ વૈવિધ્યસભર અને જટિલ છે, જે વિવિધ પ્રદેશો અને જાતિઓમાં ફેલાયેલો છે. અહીં સંક્ષિપ્ત વિહંગાવલોકન છે: - પૂર્વ-વસાહતી યુગ: આદિવાસીઓની પોતાની અલગ સંસ્કૃતિઓ, ભાષાઓ અને પરંપરાઓ હતી, અને તેઓ પ્રકૃતિ સાથે સુમેળમાં રહેતા હતા. - વસાહતી યુગ: બ્રિટિશ સંસ્થાનવાદે આદિવાસીઓના જીવનને વિક્ષેપિત કર્યું, કારણ કે તેઓને નવી કૃષિ પદ્ધતિઓ, ભાષાઓ અને ધર્મો અપનાવવાની ફરજ પડી હતી. - ભારતીય સ્વતંત્રતા: આદિવાસીઓને અધિકારો અને રક્ષણનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ વિકાસ પ્રોજેક્ટ્સ, ખાણકામ અને વનનાબૂદીને કારણે ઘણા લોકો વિસ્થાપિત થયા હતા. - 1950-60: આદિવાસીઓની ચળવળો શરૂ થઈ, તેમની જમીનો, જંગલો અને સંસાધનો પર અધિકારોની માંગણી કરી. - 1970-80: ઝારખંડ ચળવળ અને ચિપકો ચળવળ જેવી ચળવળો સાથે આદિવાસીઓના સંઘર્ષો તીવ્ર બન્યા. - 1990-વર્તમાન: આદિવાસીઓ વિસ્થાપન, જમીન પચાવી પાડવા, અને માનવ અધિકારોના ઉલ્લંઘન જેવા પડકારોનો સામનો કરવાનુ...
Navsari, vansda (keliya school) : ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી ઇતિહાસનું શિક્ષણ પીરસતો અનોખો શિક્ષક. આજે વાત કરી રહ્યા છીએ એક સામાજિક વિજ્ઞાન ભણાવતા શિક્ષક શ્રી હેમંતભાઈ પટેલની. તેઓ ચીખલી તાલુકાનાં આમઘરા ગામના વતની છે. તેમણે સૌ પ્રથમ નોકરીની શરૂઆત સુરત જિલ્લાથી કરી હતી ત્યાર બાદ જિલ્લાફેરથી કેલીયા પ્રાથમિક શાળામાં હાજર થઈ આચાર્યનો પદભાર સંભાળ્યો હતો. જેઓ સમાજિક વિજ્ઞાનમાં અવનવી પદ્ધતિઓથી બાળકોને અભ્યાસ કરાવે છે. તેમની પાસે ૧૦૦થી વધુ વનસ્પતિના બીજ સંગ્રહ ધરાવતી બીજબેંક છે. તેમજ તેમની પાસે દેશ - વિદેશના જૂના ૩૬૨ જેટલાં ચલણી સિક્કાઓ સંગ્રહ કર્યા છે. ૫૦૦ વર્ષ જૂના સિક્કાઓની મદદથી શિક્ષણ : ભારતીય ચલણમાં હાલમાં ટેકનોલોજીનો સમન્વય થતા ડિજિટલ કરન્સીની બોલબાલા છે. પરંતુ વર્ષો અગાઉ રાજા રજવાડાના જમાનામાં ચલણમાં સિક્કાઓ વપરાતા હતાં. આ સિક્કાઓથી આજની પેઢી અવગત થાય તે માટે વાંસદા તાલુકાના કેલીયા ગામના એક શિક્ષક હેમંતભાઈ પટેલે ઈ.સ. 500 થી લઇ 2024 સુધીના દેશ-વિદેશના 362 દુર્લભ ચલણી સિક્કાઓનો ખજાનો સંગ્રહ કર્યો છે. સામાજિક વિજ્ઞાન બાળકો માટે રસપ્રદ બને તથા ઉત્સુકતા જાગે તેવા હેતુથી...
Comments
Post a Comment